પ્રવીણભાઈએ રાપર પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, હિરાભાઈ રામરાનગભાઈ તુસાણી અવારનવાર તેમને “તારી ગામમાં ઈજ્જત આબરૂ રહેવા નહીં દઉં” એવી ધમકી આપતા હતા. સતત મળતી ધમકીઓ અને માનસિક ત્રાસને કારણે તેમણે આકરા પગલાં ભર્યાં હતાં.
આરોપી સામે અગાઉ પણ ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનો ઈતિહાસ હોવાનું ફરિયાદીમાં ઉલ્લેખ કર્યો છે. હાલ રાપર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
0 ટિપ્પણીઓ