નામ: મેઘ માયા
પિતાનું નામ: ધરમશી
માતાનું નામ: ખેમી
જન્મસ્થળ: રનોડા (ધોળકા નજીક, જી. અમદાવાદ)
જન્મ સંવત: ભાદરવા સુદ નોમ, સંવત ૧૧૪૫
પરિવાર
પત્નીનું નામ: મરધા (પિતૃનામ: જોગાભાના)
સંતાન: કુલ ૬
પુત્રો: માલો, માંગો, ચૂંડરો, માતરો
પુત્રીઓ: મીયારી, ધારૂં
બલિદાન
બલિદાન સ્થળ: સહુસ્ત્રલિંગ તળાવ (પાટણ)
તારીખ: મહાસુદ સાતમ, સંવત ૧૧૯૪ (ઈ.સ. ૧૦-૨-૧૧૩૭)
ઉંમર: અંદાજે ૪૯ વર્ષ
વિશેષ નોંધ
સંવત ૧૪૦૩માં હાલના પાટણ-મોટી સરાઈ ખાતે વિર મેઘ માયાના વંશજો અને વણકર સમાજના ભાઈઓએ તેમના બલિદાનની સ્મૃતિમાં ભવાઈ (નાટક) રમાડ્યું હતું.
આ પ્રસંગે ૫૦૦ પટોળાનું દાન તુરી-બારોટોને આપવામાં આવ્યું હતું.
બલિદાન પછી આશરે ૩૦૦ વર્ષ સુધી વંશજો પાટણમાં જ વસ્યા.
બાદમાં તેઓ ભરૂચ જીલ્લાના જંબુસર ખાતે સ્થાયી થયા.
ત્યાં જ વિર મેઘ માયાના નજીકના વંશજ સોમા-સાલરે દેહ છોડ્યો હતો.
આજના "માયાવંશી" અટક ધરાવતા લોકો એ જ વિર મેઘ માયાના વંશજો છે.

0 ટિપ્પણીઓ