ભેદભાવ છતાં ગુનાની નોંધ કરવાનું ટાળવું:
રાપર તાલુકાના અનેક ગામડાઓમાં અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ એ સામાન્ય વાત બની ગઈ છે. આ ભેદભાવ ઘણીવાર છુપાયેલું રહે છે, અને વિધિવત રીતે ગુનાની નોંધ ઓછા પ્રમાણમાં થાય છે. આ સ્થિતિ ન માત્ર ભેદભાવને વધારી રહી છે પરંતુ SC સમુદાયના જીવનમાં સતત અસમાનતાને ન્યાયલક્ષી માન્યતા આપી રહી છે.
ગુંના નોંધાવાનું ટાળવાના મુખ્ય કારણો:
1. સામાજિક ઓળખાણનું ભય:
રાપર તાલુકાના ગામડાઓમાં નાના સમુદાયો રહેતા હોવાથી લોકો પરસ્પર ઓળખાણ ધરાવે છે. ભેદભાવના ગુનામાં ફરિયાદ નોંધાવવાથી સમુદાયમાં વિરોધ વધે છે અને ભવિષ્યમાં શોષણ વધવાની ભીતિ રહે છે.
2. સરમ અને સમાજનો દબાણ:
SC સમુદાયના લોકો ઘણીવાર "સરમ" અથવા "સમાજ શું કહેશે?" જેવા વિચારોથી પ્રભાવિત થાય છે. પરિણામે, તેઓ ભેદભાવનો શિકાર હોવા છતાં ન્યાય માટે આગળ નથી આવતા.
3. સામાજિક બહિષ્કારનો ભય:
કેટલાક કિસ્સાઓમાં, ભેદભાવના વિરોધમાં અવાજ ઉઠાવવાથી સમગ્ર પરિવાર અથવા સમુદાયને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડે છે. આ ડર લોકોને શાંત રહેવા મજબૂર કરે છે.
4. સ્થાનિક કાનૂની મજબૂતીનો અભાવ:
રાપર તાલુકાના ઘણા ગામડાઓમાં કાનૂની જાણકારીનું અને સહાયતાનું અભાવ છે. ઘણાં લોકોને એવું લાગે છે કે પોલીસ અથવા કોર્ટમાં ફરિયાદ નોંધાવવી માત્ર સમય અને પૈસાની બરબાદી છે.
5. પ્રશાસન અને સ્થાનિક સમુદાયનો ભેદભાવ:
થોડા કિસ્સાઓમાં, સ્થાનિક તંત્ર પણ ભેદભાવપૂર્ણ મનોવૃત્તિ ધરાવે છે, જેનાથી પીડિતોને ન્યાય મેળવવામાંવ
ધુ મુશ્કેલી થાય છે.
એટલું જ નહીં પણ👇
રાપર તાલુકાના કેટલાક ગામડાઓમાં આજે પણ અનુસૂચિત જાતિના (SC) લોકો સામે તેવા અદ્ભુત ભેદભાવ જોવા મળે છે કે જે ભારતના સમાનતાવાદી સંવિધાનની ભાવનાને પડકાર આપે છે. દિવાળી જેવા પવિત્ર તહેવાર પર પણ SC સમુદાયના લોકો સાથે આચરણ અન્યો સાથે સમાન નથી. કેટલાક ગામડાઓમાં આ સમુદાયના લોકો સાથે ન માત્ર ભોજન કે ઉત્સવની મોજશોખમાં શામેલ થવામાં અવગણના થાય છે, પરંતુ તેમના સાથે હાથ મિલાવવા જેવી સામાન્ય આચારસંહિતાને પણ નકારવામાં આવે છે
તે છતાં અનુસૂચિત જાતિના લોકો આવા મનુંવાદી તહેવારોને વળગી રહેલ છે

0 ટિપ્પણીઓ